Home Social Activity “વૃક્ષારોપણ” – ઉછેરની ખાતરીના ભાવ સાથે

“વૃક્ષારોપણ” – ઉછેરની ખાતરીના ભાવ સાથે

17
“વૃક્ષારોપણ” – ઉછેરની ખાતરીના ભાવ સાથે

યાદવ ભુમંડલમ ધતે સશૈલમ કાનનમ,

તાવત તિષ્ઠતિ મે દિન્યામ સંતિત પુત્રે પૌત્રકી:

જ્યાં સુધી આ પૃથ્વી વૃક્ષો, પહાડો અને વનોથી આચ્છાદિત રહેશે, ત્યાં સુધી મનુષ્યોની તમામ જરૂરિયાતો પૂરી થતી રહેશે.

સાંસ્કૃતિક પ્રધાન એવા આપણા દેશમાં વૃક્ષોની પૂજા-અર્ચના આદિ-અનાદિ કાળથી થતી આવે છે. પૃથ્વી ઉપર સમગ્ર જીવ સૃષ્ટિનું અસ્તિત્વ જેના ઉપર નિર્ભર છે, તેવા વૃક્ષો, વનો અને વનસ્પતિઓનું જતન કરવાની બાબત સંસ્કૃતિમાં વણાયેલી છે. આપણે ત્યાં બહેનો વટસાવિત્રીનું વ્રત કરી વડની પૂજા કરે છે, તુલસી વિવાહ થાય છે અને વર્ષના ચોક્કસ સમયે પીપળામાં પિતૃદેવતાનો વાસ માની જળ અર્પણ કરીએ છીએ વગેરે તેના તાદશ ઉદાહરણો છે. આપણા ધર્મગ્રંથો જેવા કે, અથર્વવેદ, શ્રીમદ ભાગવત, વરાહ પુરાણથી લઇ વિક્રમ ચરિત અને ચરક સંહિતા વગેરેમાં વૃક્ષોનું મહત્વ દર્શાવેલ છે અને તેનું જતન કરવાના આદેશો પણ જોવા મળે છે. તો ચાલો જૈવિક સૃષ્ટિના આવા અમૂલ્ય અંગ એવા વૃક્ષોની પ્રાર્થના કરીએ.

મૂલ બ્રહ્મા ત્વચા વિષ્ણુ શાખે રૂદ્ર મહેશવ:

પત્રે પત્રે તુ દેવસ્ત્રામ વૃક્ષરાજ નમંસ્તુભ્યંમ

જેના મૂળમાં જગત પિતા બ્રહ્માનો વાસ છે; શરીરમાં વિષ્ણુ ભગવાન, ડાળીઓમાં શંકર ભગવાનનો વાસ છે અને દરેક પર્ણમાં દેવતાઓને ધારણ કર્યા છે તેવા વૃક્ષને હું નમસ્કાર કરું છું.

હવે વિશ્વ કક્ષાએ, દેશમાં અને ગુજરાતમાં વન વિસ્તારની સ્થિતિ વિષે જાણીએ. વિશ્વના વન વિસ્તારની વાત કરીએ તો, વિશ્વ કક્ષાએ વર્ષ – 1990માં કૂલ ભૂપૃષ્ઠના 31.6% વન વિસ્તાર હતો, જે વર્ષ – 2015માં 30.6% થવા પામેલ છે. આંકડાઓ વન વિસ્તારમાં ઘટાડો દર્શાવે છે જે ગંભીર બાબત છે, પરંતુ છેલ્લા વર્ષોમાં ઘટાડાનો દર ઘટ્યો છે તે સારી બાબત છે. ભારતીય વન મોજણી (Forest Survey of India)ના ‘સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ, 2017’ મુજબ ભારતના કૂલ ભૌગોલિક વિસ્તાર 32,87,469 ચો. કી. મી. પૈકી 7,08,273 ચો. કી. મી. વન વિસ્તાર છે. એટલે કે, દેશમાં વન વિસ્તારની ટકાવારીનું પ્રમાણ 21.54% જેટલું છે. જે વિશ્વની સરખામણીએ 9% જેટલો ઓછો છે. ગુજરાતના કૂલ ભૌગોલિક વિસ્તાર 1,96,244 ચો. કી. મી. પૈકી 14,757 ચો. કી. મી. વન વિસ્તાર છે, જે 7.52% જેટલો થવા જાય છે.

વૃક્ષો પર્યાવરણનું સમતોલન જાળવવા માટે ખૂબ જ અગત્યના છે. વૃક્ષો ઓછા હોવાને લીધે આપણે પારાવાર મુશ્કેલીઓ જેવી કે, ગ્લોબલ વોર્મિંગ, ઓછો વરસાદ, પ્રાણવાયુનું અસંતુલન, જળ સ્ત્રોતો ઘટવા, અન્ય જૈવિક ઘટકોમાં અસંતુલન વગેરે ભોગવવી પડે છે. ખરેખર તો આપણે ભોગવવા માંડ્યા જ છીએ. ઉપરના આંકડાઓ જોઇએ તો ગુજરાતનો વન વિસ્તાર વિશ્વના 30.6% અને ભારતના 21.54% કરતા અનુક્રમે 23% અને 14% ઓછો છે. બીજી રીતે જોઇએ તો ગુજરાત કરતા ભારતનો સરેરાશ વન વિસ્તાર બમણો અને વિશ્વનો સરેરાશ વન વિસ્તાર ત્રણ ગણો છે. વન વિસ્તાર વધારવા અંગત, સામૂહિક અને સરકાર કક્ષાએથી ઘનિષ્ઠ પગલાઓ લેવા અનિવાર્ય છે. સરકારશ્રી તથા અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા આ વિષય પર જાગૃતિ ફેલાવામાં આવી રહેલ છે. આજે દરેક ગુજરાતી તથા ભારતીય ચિંતિત છે. ચોમાસાની મોસમ ધ્યાને લઇ વૃક્ષારોપણની પ્રવૃતિઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ બાબત ઘણી જ સારી અને સરાહનીય છે.           

આપ સહુ જાણો જ છો કે ઇ – પગાર અને હિસાબ કચેરી (જીએસટી), ગાંધીનગર દ્વારા સમયાંતરે નાની-નાની સામાજિક પ્રવૃતિઓ થતી રહે છે. આ કચેરીના તમામ અધિકારી તથા કર્મચારીઓ સાથે મળી આવી પ્રવૃતિઓનું આયોજન કરે છે અને તેમાં અન્ય ઉચ્ચ અધિકારીઓ અને સાથી અધિકારીઓનો સહયોગ તથા પ્રેરણા મળતા રહે છે. આવી જ એક સામાજિક અને હાલના સમયને અનુરૂપ તથા અતિ આવશ્યક એવી વૃક્ષારોપણની પ્રવૃતિનું આયોજન કરી, આ મહાયજ્ઞમાં ભાગ લેવાનું નક્કી કરવામાં આવ્યું. તાજેતરમાં વૃક્ષારોપણની પ્રવૃતિઓનું આયોજન તો બહુ બધી જગ્યાએ થાય છે, પરંતુ આવા વાવવામાં આવેલા વૃક્ષો ખરેખર ઉછરે છે કે કેમ? તેની દરકાર જોઇએ તેટલી રાખવામાં આવતી નથી.

ઇ – પગાર અને હિસાબ કચેરી (જીએસટી), ગાંધીનગરના સભ્યો દ્વારા કેન્દ્રિય વિદ્યાલય, સેક્ટર – 30, ગાંધીનગર ખાતે તા. 8મી, ઓગસ્ટ, 2019ના રોજ વૃક્ષારોપણની પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણની પ્રવૃતિના ભાગરૂપે વડ, લીમડો, પેલ્ટોફોરમ, કાંચનાર વગેરે છાંયડો આપે તેવા અને લજામણી, બારમાસી, નાગરવેલ જેવા નાના વૃક્ષો રોપવામાં આવ્યાં. આ છાંયડો આપે તેવા અને નાના વૃક્ષો રોપ્યાં પછી બધા જ વૃક્ષો ઉછરે તે માટે તમામ વૃક્ષોને પાણી મળી રહે તે મુજબ ડ્રીપ ઇરિગેશન (પાણીની મોટર, ફિલ્ટર, પાઇપ લાઇન, ડ્રીપર તથા ઇલેક્ટ્રીફિકેશન વગેરેના ફીટીંગ સાથે)ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. જેથી તમામ વાવેલા વૃક્ષો ખરેખર ઉછરે અને તેઓ લાભ આવતી પેઢીઓને વર્ષો સુધી મળતો રહે તેવું સુનિશ્ચિત થાય.

આ વખતે પણ પ્રવૃતિના આયોજનમાં ઇ – પગાર અને હિસાબ કચેરી (જીએસટી), ગાંધીનગર પરિવારના સભ્યો ઉપરાંત કેન્દ્રિય વિદ્યાલયના પ્રિન્સીપાલ અને અન્ય સ્ટાફ તથા માળી મિત્રોનો ખૂબ જ સહયોગ મળ્યો, જે બદલ હું તેઓનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અન્ય અધિકારીશ્રીઓ માનનીય ચારુબેન ભટ્ટ મેડમ, યોગિતા મેડમ, હિમાંશુ પટેલ સાહેબ, સુરેખાબેન, વિભૂતિબેન, અવનીબેન, ડો. ગૌતમ વગેરેનો સહયોગ રહ્યો, તેઓનો પણ આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત શ્રી નિકુંજ બગસરિયા, મેખાટીંબી (ડ્રીપ ઇરિગેશનના આયોજનમાં મદદરૂપ થવા માટે),  શ્રી ગગુભા રાજ તથા વન ચેતના નર્સરી, સેક્ટર – 30 (વૃક્ષોની ઉપલબ્ધિ માટે)નો પણ હું આભારી છું. મારી કચેરીના શ્રી સંજય કારીયા કે જેઓ એ મારા ડ્રીપ ઇરિગેશન સાથેના વૃક્ષારોપણના કોન્સેપ્ટને સાચા અર્થમાં સાર્થક કરવા કરેલ અથાગ મહેનતને ખાસ બિરદાવવી રહે.

મિત્રો, નાસાના ગોડાર્ડ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ સ્ટડીઝ (જીઆઈએસએસ)ના વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા તાપમાન વિશ્લેષણ મુજબ, વર્ષ – 1880થી પૃથ્વી પર સરેરાશ વૈશ્વિક તાપમાનમાં આશરે 0.8° સેલ્સિયસ (1.4° ફેરનહિટ)નો વધારો થયો છે. વર્ષ – 1975 બાદ દાયકા દીઠ આશરે 0.15-0.20° સેલ્સિયસના દરે બે તૃતીયાંશ તાપમાન વધ્યું છે. જે ઝડપે તાપમાનમાં વધારો થઇ રહ્યો છે, આપણી પાસે વધુમાં વધુ વૃક્ષો ઉગાડવા સિવાય કોઇ વિકલ્પ બચતો નથી. તો આપ સહુને પણ આ મહાયજ્ઞમાં ભાગ લઇ વાતાવરણને અને આપણી પોતાની જાતને બચાવવા નમ્ર અપીલ કરું છું.

અન્નાત ભવંતિ ભુતાનિ પર્જન્યાદન્ન સંભવ

યજ્ઞાદ ભવતિ પર્જન્યા યજ્ઞ: કર્મ સમુદભવ

અન્નથી પ્રાણી માત્રનું પોષણ થાય છે. અન્નના ઉત્પાદન માટે પાણીની જરૂર છે અને જળપ્રાપ્તિ (વરસાદ) વનોથી થાય છે. જેથી વન ઉછેરનું યજ્ઞકાર્ય કરવું જોઇએ.

http://udaybhayani.in/2019/07/19/%e0%aa%88-%e0%aa%aa%e0%aa%97%e0%aa%be%e0%aa%b0-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b9%e0%aa%bf%e0%aa%b8%e0%aa%be%e0%aa%ac-%e0%aa%95%e0%aa%9a%e0%ab%87%e0%aa%b0%e0%ab%80-%e0%aa%9c%e0%ab%80/

17 COMMENTS

  1. સહૃદય પૂરક આભાર ઉદય,
    વૃક્ષ પ્રત્યે આપણી જરૂરિયાત જ નહિ પણ આપણી નૈતિક ફરજ છે એ તમે ધાર્મિક તથા વિજ્ઞાન ની ભાષા માં સમજાવ્યું..
    આજે લોકોને લાગે છે કે ગરમી ખૂબ જ વધી રહી છે. પરંતુ એ.સી.ને કેટલા સમય સુધી ટેકો મળશે? આજે ભારતમાં 500 કરોડ વૃક્ષોની જરૂર છે. હજી તો શરૂઆત છે 45 થી 49 ડિગ્રી તાપમાન ની. 55 થી 60 સુધી તાપમાન થતા લાંબો સમય લેશે નહીં.
    હવે સમજીને વૃક્ષનુ વાવેતર કરીએ .છોડને વધવા માટે 5 થી 7 વર્ષ લાગશે. વરસાદ આવી રહ્યો છે, તો દરેક વ્યક્તિ બે-બે વૃક્ષો ચોકકસ વાવિએ. સરકાર પર બધું છોડશો નહીં.ફરજ આપડી પણ છે.

  2. e-PAO(GST) દ્વારા સોશિયલ પ્રવુતિના ભાગરૂપે એક Green આctivities…

    Save Tree, Save Water, Save life……

  3. it’s Really good job UdayBhai, Keep it up any work related to Crop Protection or crop nutrition I am always ready to help any where if its possible from my side. Protecting the environment is the moral responsibility of all of us.

  4. Great job done by our team…happy for I m a part of this great team…. very nice info by history, as scientific way and why need for future ….great…

  5. ઉદયભાઈ
    Very nice initiative, which is the utmost necessity in today’s scenario.
    Unfortunate part is , અતિ ઉત્સાહ સાથે શરૂ કરાયેલ આ યજ્ઞ ,વૃક્ષારોપણ પૂરું થતાં થોડાક સમય પછી maintenance, management ના અભાવે લાંબા સમય ને અંતે ખોરંભાઈ જાય છે.આ કિસ્સામાં પણ, તેને સાતત્યપૂર્ણ રાખવા ડ્રીપ અપનાવાઈ છે ,તે ખૂબ સરસ બાબત છે,પરંતુ તેની પણ સમયે સમયે દેખભાળ થાય તે મુજબ આયોજન,ધ્યાન જરૂરી છે,(એમ કહું તો કદાચ અસ્થાને નહિ હોય.મારા ભૂતકાળ ના અનુભવોને આધારે આ લખુછું).
    અભિનંદન !!!!!

  6. great work..dear friends….it is required for nature….thanks for your intiative for saving the environment ….salute

  7. વૃક્ષ વાવેતરથી લઇને તેના જતન-સંવર્ધન સુધીની ચિંતા કરનાર મુ. ભાયાણીજી અને તેઓની સમગ્ર ટીમને અભિનંદન. આ અવસરને આવતા ચોમાસે વિશેષ અજવાળીશું…

Leave a Reply to A Cancel reply

Please enter your comment!
Please enter your name here