ગુજરાત રાજ્યની તિજોરી કચેરીઓ અને પેન્શન ચૂકવણા કચેરીઓમાંથી લગભગ સાડા ચાર લાખ જેટલા વિવિધ પ્રકારના જેવા કે રાજ્ય સરકારના, પંચાયતના, સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓના વગેરેના પેન્શનરશ્રીઓ દર મહિને પેન્શન મેળવે છે. પેન્શનરશ્રીઓ માટે તેઓની નિવૃત્તિ પછીની જિંદગીમાં સૌથી અગત્યની બાબતો પૈકીની કોઇ એક હોય તો તે છે, “હયાતીની ખરાઇ”. દર વર્ષે પેન્શનરશ્રીઓએ તેને પેન્શન ચૂકવતી કચેરી અથવા જે બેંકમાં પેન્શન માટેનું ખાતુ હોય ત્યાં જઈ પેન્શન સતત ચાલુ રહે તે માટે, અધિકૃત અધિકારીની હાજરીમાં હયાતીની ખરાઇ કરાવવાની હોય છે.
કોવિડ-૧૯ મહામારીના પરિપેક્ષ્યમાં વરિષ્ઠ નાગરિકો એવા પેન્શનરશ્રીઓને ઘરની બહાર નીકળવું ઉચિત ન હોય; તેઓને બહાર નીકળવું ન પડે, તેઓ સ્વાસ્થ્ય સંબંધી કોઈ મુશ્કેલીમાં ન મુકાય તથા તેઓની પેન્શન રૂપી આવક સતત ચાલુ રહી શકે તે જરૂરી છે. આવા સંજોગોમાં પેન્શનરશ્રીઓ પોતાની હયાતીની ખરાઇ સરળતાથી કરાવી શકે, તે માટે રાજ્ય સરકાર દ્વારા નીચે મુજબ વિવિધ છૂટછાટો આપવામાં આવેલ છે અને સરળીકરણના પગલાઓ પણ લેવામાં આવેલ છે.
સમય મર્યાદામાં છૂટછાટ
રાજ્ય સરકારની સ્થાયી નીતિ અનુસાર દરેક પેન્શનરશ્રીએ દર વર્ષે મે મહિનામાં હયાતીની ખરાઇ કરાવવાની હોય છે. જે પેન્શનરશ્રી મે મહિનામાં હયાતીની ખરાઇ ન કરાવી શકે, તેઓને જૂન અને જુલાઇ એમ બે મહિનાની છૂટ આપવામાં આવેલ છે. જુલાઇ મહિનાના અંત સુધીમાં હયાતીની ખરાઇ ન કરાવી શકનાર પેન્શનરશ્રીનું પેન્શન ઓગસ્ટ પેઈડ ઇન સપ્ટેમ્બર મહિનાથી સ્થગિત કરવાની જોગવાઈ છે. કોવિડ – ૧૯ મહામારીને ધ્યાનમાં લઇ આ મર્યાદામાં વધારો કરવામાં આવેલ છે, એટલે કે ચાલુ વર્ષે પેન્શનરશ્રી મે – ૨૦૨૦ને બદલે જૂન – ૨૦૨૦માં હયાતી ખરાઇ કરાવી શકશે. તે ઉપરાંત છૂટના બે મહિના એટલે કે જુલાઇ – ૨૦૨૦ અને ઓગસ્ટ – ૨૦૨૦ના અંત સુધીમાં હયાતીની ખરાઈ કરાવી શકશે. ઓગસ્ટ-૨૦૨૦ના અંત સુધીમાં હયાતીની ખરાઈ ન કરાવી શકનાર પેન્શનરશ્રીનું સપ્ટેમ્બર – ૨૦૨૦ પેઈડ ઇન ૧લી ઓક્ટોબર, ૨૦૨૦થી પેન્શન સ્થગિત થશે. આમ, પેન્શનરશ્રીઓને મુશ્કેલી ન પડે અને પેન્શન સતત મળતું રહે, તે હેતુથી હયાતીની ખરાઇ કરવાની મર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલ છે.
જીવન પ્રમાણ મારફતે ઓનલાઈન હયાતીની ખરાઈ
પેન્શનરશ્રીઓ એટલે કે વરિષ્ઠ નાગરિકોને ઘરની બહાર નીકળવું ન પડે અથવા ઘરથી નજીકના જ કોઈ સ્થળેથી હયાતીની ખરાઈ થઈ જાય, તે માટે જીવન પ્રમાણ પોર્ટલ મારફતે હયાતીની ખરાઇ ઉપર ભાર મૂકવામાં આવેલ છે. જીવન પ્રમાણ એ ભારત સરકાર દ્વારા કેન્દ્ર સરકારના, રાજ્ય સરકારોના, કેન્દ્ર શાસિત પ્રદેશોના અને અન્ય પેન્શનરો ઓનલાઈન હયાતીની ખરાઈ કરાવી શકે, તે માટે ઊભી કરવામાં આવેલી આધાર નંબર આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણની ઓનલાઇન સુવિધા છે.
આ સુવિધા મારફતે રાજ્યની તિજોરી કચેરીઓમાંથી પેન્શન મેળવતા પેન્શનરશ્રીઓને તિજોરી કચેરી કે બેન્કમાં, જ્યાં ચેપની શક્યતા વધુ હોઈ શકે છે, ત્યાં જવામાંથી મુક્તિ મળી શકે છે અને જરૂરી સંસાધનો ઉપલબ્ધ હોય તો ઘરેથી અન્યથા અન્ય ઓછી ભીડભાડ વાળા નજીકના જીવન પ્રમાણ સેન્ટર (નાગરિક સેવા કેન્દ્ર) ઉપર જઈને ઓનલાઇન હયાતીની ખરાઇ કરાવી શકે છે. આવી ઓનલાઈન હયાતીની ખરાઈને ડિજિટલ લાઈફ સર્ટીફીકેટ રજુ કર્યું કહેવામાં આવે છે. જીવન પ્રમાણ મારફતે ઘરે બેઠાં અને નજીકના જીવન પ્રમાણ સેન્ટર (નાગરિક સેવા કેન્દ્ર) ઉપર જઈને પણ એમ બે રીતે હયાતીની ખરાઈ થઈ શકે છે. જીવન પ્રમાણ મારફતે હયાતીની ખરાઈ કરાવવા નીચે મુજબની વિગતોની આવશ્યકતા રહેશે.
- કમ્પ્યુટર/લેપટોપ કે સ્માર્ટફોન
- જીવન પ્રમાણ સોફ્ટવેર કે એપ્લિકેશન
- બાયોમેટ્રિક ડિવાઈસ
- પેન્શનરનું નામ
- પેન્શનનો પ્રકાર (સર્વિસ, ફેમિલી વગેરે)
- પેન્શન મંજૂર કરનાર સત્તાધિકારી (State Government – Gujarat)
- પેન્શન ચુકવણા કરનાર સત્તાધિકારી (Gujarat Treasury – Sub Treasury)
- પેન્શન ચુકવણા કરનાર કચેરી (સબંધિત જિલ્લાની જિલ્લા તિજોરી કચેરી કે પેન્શન ચૂકવણા કચેરી, જે લાગુ પડતું હોય તે)
- પીપીઓ (પેન્શન પેમેન્ટ ઓર્ડર) નંબર
- બેંક ખાતા નંબર
ઘરે બેઠા ઓનલાઈન હયાતીની ખરાઇ
પેન્શનરશ્રીએ પોતાના કમ્પ્યુટર/લેપટોપમાં https://jeevanpramaan.gov.in/app/download લિંક ઉપરથી યોગ્ય સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું રહે છે. આ સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે ઇ-મેઇલ એડ્રેસ આપવું ફરજિયાત છે.
સોફ્ટવેર ડાઉનલોડ કર્યા બાદ પહેલાં આધાર નંબર, મોબાઈલ નંબર અને ઇ-મેઇલ એડ્રેસની વિગતો ઉમેરવાની રહેશે. આ વિગતો ઉમેર્યા બાદ એક ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ – One Time Password) આવશે. આ ઓટીપી નિયત જગ્યાએ દાખલ કર્યા બાદ, અન્ય વિગતો જેવી કે પેન્શનરનું નામ, પેન્શનનો પ્રકાર (સર્વિસ, ફેમિલી વગેરે), પેન્શન મંજૂર કરનાર સત્તાધિકારી (State Government – Gujarat), પેન્શન ચુકવણા કરનાર સત્તાધિકારી (Gujarat Treasury – Sub Treasury), પેન્શન ચુકવણા કરનાર કચેરી (સબંધિત જિલ્લાની જિલ્લા તિજોરી કચેરી કે પેન્શન ચૂકવણા કચેરી, જે લાગુ પડતું હોય તે), પીપીઓ (પેન્શન પેમેન્ટ ઓર્ડર) નંબર અને બેંક ખાતા નંબર વગેરે વિગતો ઉમેરવાની રહેશે. આ વિગતો ઉમેર્યા બાદ પેન્શનરશ્રી પુન: નોકરીમાં જોડાયેલા (Re-Employed) છે કે નહીં? અને પુન: લગ્ન (Re-Marriage) કરેલ છે કે કેમ? તેની વિગતો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહે છે.
ઉક્ત વિગતો ઉમેર્યા બાદ આધારની બાયોમેટ્રિક વિગતો સાથે ચકાસણીની સહમતી માટે ચેક બોક્સ ઉપર ટીક કરવાનું રહે છે. આટલી વિગતો ઉમેર્યા બાદ “Scan Finger (સ્કેન ફિંગર)”ના વિકલ્પ ઉપર ક્લિક કરી, આંગળી સ્કેન કરવાની રહે છે. આંગળી સ્કેન કરવા માટે બાયોમેટ્રિક ડિવાઈસની જરૂરિયાત રહે છે. જીવન પ્રમાણ સાથે કયા બાયોમેટ્રિક ડિવાઈસ કોમ્પીટીબલ છે, તેનું લિસ્ટ https://jeevanpramaan.gov.in/newassets/file/Jeevan_Pramaaan_Client_Installation_3.5.pdf લિંક ઉપર ક્લિક કરવાથી પેઇજ નંબર – ૧૪ ઉપર મળી શકશે. આંગળીની સ્કેન કરેલી બાયોમેટ્રિક વિગતો આધારના ડેટા સાથે સફળતા પૂર્વક મેચ થતાં ઇલેક્ટ્રોનિક ડિજિટલ લાઈફ સર્ટીફીકેટ આધાર કાર્ડમાં આપેલા ફોટો સાથે જનરેટ થઈ સબમીટ થઈ જશે. ડિજિટલ લાઈફ સર્ટીફીકેટ સબમીટ થતા તેનો એક નંબર જનરેટ થશે અને તેની પ્રિન્ટ પણ કાઢી શકાશે.
આ જ રીતે મોબાઇલમાં “UMANG – ઉમંગ” એપ્લિકેશન (https://web.umang.gov.in/web) મારફતે પણ ઉપર દર્શાવેલ વિગતો અને બાયોમેટ્રિક ડિવાઈસની મદદથી ઓનલાઈન હયાતીની ખરાઈ થઈ શકે છે.
જીવન પ્રમાણની સુવિધા પૂરી પાડતા નાગરિક સેવા કેન્દ્ર મારફતે હયાતીની ખરાઈ
પેન્શનરશ્રી પોતાની નજીકનું નાગરિક સેવા કેન્દ્ર શોધવા માટે https://jeevanpramaan.gov.in/locater લિંક ઉપર ક્લિક કરી સ્થળની વિગતો અથવા પોતાના વિસ્તારનો પીન (પોસ્ટલ આઇન્ડેંટીફિકેશન નંબર) નાખી, તેઓના વિસ્તારમાં કઈ જગ્યાએ નાગરિક સેવા કેન્દ્ર ઉપલબ્ધ છે, તેની વિગતો મેળવી શકે છે. આ ઉપરાંત મોબાઈલ નંબર – ૭૭૩૮૨૯૯૮૯૯ ઉપર JPL 123456 (JPL પછી સ્પેસ અને ત્યારબાદ પોતાના વિસ્તારનો પીન કોડ) ટાઇપ કરી સાદો ટેક્સ્ટ મેસેજ કરીને પણ નજીકના નાગરિક સેવા કેન્દ્રનું એડ્રેસ અને સંપર્ક નંબર જેવી વિગતો મેળવી શકશે.
નાગરિક સેવા કેન્દ્ર ઉપર પેન્શનરશ્રીએ તેઓનું નામ, પેન્શનનો પ્રકાર (સર્વિસ, ફેમિલી વગેરે), પેન્શન મંજૂર કરનાર સત્તાધિકારી (State Government – Gujarat), પેન્શન ચુકવણા કરનાર સત્તાધિકારી (Gujarat Treasury – Sub Treasury), પેન્શન ચુકવણા કરનાર કચેરી (સબંધિત જિલ્લાની જિલ્લા તિજોરી કચેરી કે પેન્શન ચૂકવણા કચેરી, જે લાગુ પડતું હોય તે), પીપીઓ (પેન્શન પેમેન્ટ ઓર્ડર) નંબર અને બેંક ખાતા નંબર વગેરે વિગતો આપવાની રહેશે. આ ઉપરાંત તેઓએ પુનઃ નોકરીમાં જોડાયેલા છે કે કેમ? અને પુનઃ લગ્ન કરેલ છે કે કેમ? આ બંને વિગતો પણ આપવાની રહેશે.
ઉક્ત તમામ વિગતો આપ્યા બાદ આધાર બાયોમેટ્રિક વેલીડેટ કરાવવાના રહેશે. અહીં આંગળાની છાપ – ફિંગર પ્રિન્ટની વિગતો આધારની બાયોમેટ્રિક વિગતો સાથે સફળતા પૂર્વક મેચ થતાં ડિજિટલ લાઈફ સર્ટીફીકેટ જનરેટ થઈ સબમીટ થઈ જશે. આ સુવિધા આપવા માટે નાગરિક સેવા કેન્દ્ર તેનો સરકારશ્રી દ્વારા નિયત ચાર્જ લઇ શકે છે, જે હાલ રૂ. ૧૦/- છે.
વયોવૃદ્ધ/શારીરિક/માનસિક અશક્ત પેન્શનરોની ઘરે બેઠા હયાતીની ખરાઈ
રાજ્યના વયોવૃદ્ધ/શારીરિક/માનસિક અશક્ત પેન્શનરો કે જે પથારીવશ કે ચાલવા અશક્ત છે અને તેઓ ઘરે બેઠા હયાતીની ખરાઈ કરાવવા ઇચ્છતા હોય, તો તેઓએ સબંધિત તિજોરી કે પેટા તિજોરી કચેરીને અગાઉથી લેખિતમાં જાણ કરવાની રહેશે. આવા શારીરિક રીતે અશક્ત અને પથારીવશ પેન્શનરોની હયાતી ખરાઇ જિલ્લા કક્ષાએ અધિક તિજોરી અધિકારી અથવા હિસાબનીશ કક્ષાના કર્મચારી અને તાલુકા કક્ષાએ પેટા તિજોરી અધિકારી કક્ષાના કર્મચારી પેન્શનરશ્રીના ઘરે જઈ રૂબરૂમાં જઈને કરશે. સરકારશ્રી દ્વારા વયોવૃદ્ધ/શારીરિક/માનસિક અશક્ત પેન્શનરો કે જે પથારીવશ કે ચાલવા અશક્ત છે, તેઓ માટે આવી સુવિધાજનક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલ છે.
પેન્શન પોર્ટલ
રાજ્ય સરકારશ્રીની તિજોરી કચેરીઓમાંથી પેન્શન મેળવતા પેન્શનરશ્રીઓ તેમના પેન્શનને લગતી વિગતો સરળતાથી ઘરે બેઠા મેળવી શકે, તે માટે ગુજરાત સરકાર દ્વારા પેન્શન પોર્ટલ વિકસાવવામાં આવેલ છે. આ પેન્શન પોર્ટલ ઉપર પોતાની વિગતો જોવા માટે પહેલા કોઈપણ એક બ્રાઉઝર (Internet Explorer, Mozilla Firefox, Google Chrome વગેરે) ખોલવાનું રહેશે. બ્રાઉઝરના એડ્રેસ બારમાં https://cybertreasury.gujarat.gov.in/ ટાઇપ કરી એન્ટર આપવાનું રહેશે. આમ કરતા પેન્શન પોર્ટલનું પ્રથમ પેઇજ ખૂલશે. ત્યાં “Pension Portal” વિકલ્પ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછીની સ્ક્રીનમાં બેંક ખાતા નંબર (આંકડામાં જ) અને પીપીઓ નંબર (દા.ત. DPP/PR-4/06/2020/123456 સ્પેશિયલ કેરેક્ટર સાથે) દાખલ કરી Login ઉપર ક્લિક કરતા સબંધિત પેન્શનરનું એકાઉન્ટ ખૂલી જશે. અહીં પેન્શનરશ્રી તેઓની નીચે મુજબની વિગતો જોઈ કે મેળવી શકશે –
- પેન્શનની માસિક સ્લિપ,
- પેન્શનની ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક આવકની વિગતો,
- પેન્શનરશ્રી પોતાની વિગતો સાથેના લાઈફ સર્ટીફિકેટની પ્રિન્ટ મેળવી શકશે,
- મેડિકલ રીમ્બર્સમેન્ટના બિલોનું સ્ટેટસ જાણી શકશે,
- પેન્શનરશ્રી તેઓની સંપર્ક વિગતો જેવી કે, મોબાઈલ નંબર, ઇ-મેઇલ એડ્રેસ વગેરે અદ્યતન કરી શકે છે.
આમ, કોવિડ-૧૯ મહામારીના સમયમાં સરકારશ્રી દ્વારા રાજ્યના પેન્શનરો એટલે કે વરિષ્ઠ નાગરિકોના હિતમાં સુવિધાજનક પગલાઓ લઈ તેઓની સલામતી પરત્વે પુરતા પગલા લેવા પ્રયત્ન કરવામાં આવેલ છે.
ખાસ નોંધ: –
- હયાતીની ખરાઈ કરવાના સમયગાળામાં આપવામાં આવેલી છૂટછાટ હાલ વર્ષ ૨૦૨૦ માટે જ અમલમાં રહેશે.
- જીવન પ્રમાણ મારફતે ઓનલાઇન ખરાઇ કરાવતી વખતે પેન્શનરશ્રીના આધાર કાર્ડમાં અને પેન્શન ચૂકવણા હુકમમાં નામ સરખા હોય તે આવશ્યક છે, અન્યથા વિસંગતતા વાળા ડિજિટલ લાઈફ સર્ટીફીકેટ અમાન્ય રહી શકે છે.
- જીવન પ્રમાણ વિશે કોઈપણ મુશ્કેલી માટે ૧૮૦૦ ૧૧૧ ૫૫૫ તથા ૦૧૨૦-૩૦૭૬૨૦૦ નંબર ઉપર અને jeevanpramaan@gov.in ઇ-મેઇલ ઉપર સંપર્ક કરી શકાય છે તથા પેન્શન પોર્ટલ સબંધી કોઇ મદદની આવશ્યકતા જણાય તો ફોન નં – ૦૭૯ ૨૩૨ ૫૭૩૨૫ અને ૦૭૯ ૨૩૨ ૫૭૩૨૬ અને supt-sys-dat@gujarat.gov.in ઇ-મેઇલ ઉપર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરી શકાય છે.
Very very useful information. Perfect in all respect…
Excellent job…
Please keep it up…
Thank you sir…
અત્યંત સુંદર માહિતી છે. બેંકમાં આપના વૃદ્ધ પેન્શનર ને જવું નહિ પડે. સારી અને સરળ ભાષા રાખવા બદલ આભાર.
સોફ્ટવેર ડાઉનલોડ કરયા પછી, ઈમેઈલ આઇ ડી બોક્સ માં ટેપ કરતાંઆઇ ડી ટાઇપ થતું નથી, ટાઇપ કરતા ટેકસ,નોટ,ફ્રીહેન્ડ ,સાઇન આવે છે, કેવી રીતે આગળ વધવું?
બાયોમેટ્રીક ડીવાઇસ ઓસ્ટ્રેલિયામાં કયું લેવાય ?અહીં મલતું નથી, લેપટોપ સાથેનું સ્કેનર ચાલે?જણાવશો.
સોફ્ટવેર ડાઉનલોડ કરયા પછી, ઈમેઈલ આઇ ડી બોક્સ માં ટેપ કરતાંઆઇ ડી ટાઇપ થતું નથી, ટાઇપ કરતા ટેકસ,નોટ,ફ્રીહેન્ડ ,સાઇન આવે છે, કેવી રીતે આગળ વધવું?
બાયોમેટ્રીક ડીવાઇસ ઓસ્ટ્રેલિયામાં કયું લેવાય ?અહીં મલતું નથી, લેપટોપ સાથેનું સ્કેનર ચાલે?જણાવશો. માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર, સુંદર માહિતી છે.
Good information
Useful information.
Very useful & perfect information/guide line.
Lage rahon 👏👏👏
Thx for important msg.
Detailed information. Very useful.
Thank you so much sir… 🙏
Very useful information. thanks you sir
Perfect information.
Very much useful to pensioners.
Thank you so much.
Thank you…
વિદેશ માં બાયોમેટિક મશીન ની વયવસતા નથી અને પંદર દિવસ થી સાયબર પોરટલ -ગુજરાત -ઓપન થતી નથી-ઉપાય બતાવશો. ————-પી જે પટેલ.
Sir,
Cyber Treasury Portal is working 24X7. This portal is not only meant for pension details but collection of online receipts too. So kindly check from your side.
Notarized Life Certificate is also one option…
Name in aadhar and pension book is different (service book name is before marriage). What to do? Please Guide
Dear Reader,
In my view, Treasury is making payment of pension. For change in name pensioner should proceed through Appointing cum Pension Sanctioning Authority. Pension Sanctioning Authority will in turn forward to the Pension Authorization Authority. Revised authority will be issued and treasury would be able to change the name afterwards. Thank you for communication.
Very useful information for pensioners bhai
Thankyou.
Thanks for the step by step instructions . Pension community will be benefited.
Thank you…
That’s exact and very useful guidelines for pensioners.
Very good information
Thank you…
Excellent job n very useful information for the pensioners n very senior persons. Jyotikumar Chokshi.
Thank you for feedback…
Good & Useful information
Thank you Udaybhai , nicely written. one more question, what about retire senior person, who is visiting family living in abroad. they are asking for a Biometric device. Is there any way without biometric we can verify ? Thanks
હું વિદેશ મા છું તો મારા ફોન પર ઓટીપી નમ્બર કેવી રીતે આવશે
Dear Sir,
For technical details, please contact Jeevan Pramaan Helpdesk. Details are provided in the last para of blog.
Thank you…
How can I get OTP number on my fone while I am in abrod
Dear Sir,
For technical details, please contact Jeevan Pramaan Helpdesk. Details are provided in the last para of blog.
Thank you…
Threadbare information, God bless you.
Thank you..
Very useful information for pensioner. More I would like to ask you that , it is necessary to give copy of online jeevan pramaan certificate generated in pension paying Bank or post or treasury.kindly intimate me on my e mail I’d or mobile number.thanks….
From Gauttam Pandya, Baroda
No need for physical copy once process successfully completed online.
Good & Useful information
Sir –
Unfortunately this facility is not available to a Pensioner living out of India.
Can we use Android / iPhone to submit a Finger scan from abroad ?
Regards –
Portal does not support for sending OTP abroad. Also devices are prescribed and need to use those only.
Very nice.thank you very much.
Can we do this from USA ?
Sir, Can be done from anywhere but portal does not support sending OTP on international numbers. So you need to use Indian Mobile Number and should be mapped with Aadhar.
I got otp on my email
And otp on India fon number.
I sent you documents.
Can you you help. For registration of life Certificate 2020.?
Very good information for guj pensioners those who are staying out side. Thanks
VERY USEFULL FOR WHO STAYING OUT OF STATE IN THIS COVID19 SITUATION
If I have bhai in my name in adharcard and in pension name only name without bhai so it is valid or not.
કેન્દ્ર સરકારે 31/12/2020 સુધી મુદત લંબાવી છે.ને ગુજરાત માં૩૦/૧૧/૨૦૨૦. શું ગુજરાત માં કોરોના નથી. કેટલા પેન્શનરો નું પેન્શન બંધ થઈ ગયું છે.તેમને જિલ્લા તિજોરી જાવું પડછે.તેનું શું