શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૩ | શ્રમદાન - શ્રેષ્ઠદાન । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૩ | શ્રમદાન – શ્રેષ્ઠદાન । Sundarkand | सुंदरकांड

પ્રભુ શ્રીરામનો અધમોદ્ધારણ કૃપાનો ગુણ, જો દ્રવ્યદાન ન કરી શકો તો કંઇ નહી, પરંતુ શ્રમદાન ચોક્કસ કરવું જોઇએ, સાચા સંત સદ્‌ગુરુ જ્યારે જીવના અંતરાત્માને ઢંઢોળે એટલે જીવ તરત જ જાગૃત થઈ જાય અને પ્રભુકાર્ય તરફ વળી જાય, જનકસુતા અર્થાત જેવી રીતે સંસારમાં રહીને પણ જનકજી નિર્લેપ હતા, તેવી રીતે લંકા-માયાવી નગરીમાં રહીને પણ જનકદુલારી તમામ બાબતોથી નિર્લેપ હતા, શ્રીહનુમાનજીની માતા સીતાજીને મળવાની તિવ્ર ઉત્કંઠા વગેરે

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૨ | કાર્પણ્ય શરણાગતિ । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૨ | કાર્પણ્ય શરણાગતિ । Sundarkand | सुंदरकांड

કાર્પણ્ય શરણાગતિ એટલે ‘સંપૂર્ણ સમર્પણની ભાવના’. બ્રહ્મચર્ય એ શારીરિક કરતા વધુ માનસિક કે મુખ્યત્વે માનસિક બાબત જ છે. શ્રીહનુમાનજી નિત્ય પ્રાત:સ્મરણીય છે. પ્રભુ શ્રીરામનું નામ કળીયુગમાં કલ્પતરુ સમાન અને સુમંગલ દાયક છે. હરિ અનંત, હરિ કથા અનંતા વગેરે…

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૧ | અબ મોહિ ભા ભરોસ હનુમંતા । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૧ | અબ મોહિ ભા ભરોસ હનુમંતા । Sundarkand | सुंदरकांड

પ્રભુપ્રાપ્તિનો વિભીષણજીનો દ્રઢ વિશ્વાસ, “પુન્યપુંજ બિનુ મિલહિં ન સંતા” અને “બિનુ હરિકૃપા મિલહિં નહિં સંતા” આ બે વચ્ચેની પાતળી ભેદ રેખા, પ્રભુ શ્રીરામના ‘રઘુવીર’ નામ સંબોધનમાં સમાવિષ્ટ પાંચ પ્રકારની વીરતા, પ્રભુનો સેવકો પર સદાય પ્રેમ વરસાવતા રહેવાનો વિલક્ષણ સ્વભાવ અને ભગવાનને આપણી ઉપર કૃપા કરવાનો મોકો આપતા રહેવું જોઇએ વગેરે

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૦ | એકલા ચોલો રે... । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૦ | એકલા ચોલો રે… । Sundarkand | सुंदरकांड

વિભીષણજી લંકામાં દાંતોની વચ્ચે જેમ બિચારી જીભ રહે તેમ રહે છે તે સંદર્ભમાં એક સુંદર સત્ય ઘટના, દુર્જનો, ટીકાકારો વગેરેના ટોળા હોય, ભક્ત એકલો જ હોય. જીવનનું બસ આ જ સનાતન સત્ય છે, જેમ સૂર્યના આવવાથી અંધકાર અને ઝાંકળ દૂર થઇ જાય છે, તેમ પ્રભુ શ્રીરામના આવવાથી રાક્ષસોનો વિનાશ થઈ જશે, જેમ ઘુવડ સૂર્યના દર્શનથી વિમુખ હોય છે. તેમ તામસ જીવ જ્ઞાનરૂપી સૂર્યથી દૂર હોય છે, તા. ૦૨.૦૪.૨૦૨૨, શનિવારના રોજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રી દરમ્યાન શ્રીરામચરિતમાનસ વાંચવાના આગ્રહની વાતો વગેરે

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૯ | ચાર મિલે ચોસઠ ખિલે… । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૯ | ચાર મિલે ચોસઠ ખિલે… । Sundarkand | सुंदरकांड

રામભક્ત રામકથા સાંભળે કે વાંચે એટલે તેનું શરીર પુલકિત થઈ જ જાય. ચાર મિલે ચોસઠ ખિલે, બીસ રહે કર જોર । હરિજન સે હરિજન મિલે, તે’દિ નાચે સાત કરોડ ॥ વિભીષણજી લંકામાં કેવી રીતે રહે છે તેની વાત. ભક્ત ટીકાકારો વચ્ચે જ રહેતો હોય તે સારું. વિભીષણજીના આ દાંત વચ્ચે જીભના ઉદાહરણના ગુઢ અર્થો.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૮ | કી તુમ્હ રામુ દીન અનુરાગી । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૮ | કી તુમ્હ રામુ દીન અનુરાગી । Sundarkand | सुंदरकांड

વિભીષણજી શ્રીહનુમાનજીને પુછે છે કે આપ કોઇ હરિભક્ત છો કે દીન અનુરાગી ખુદ હરિ જ છો? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીહનુમાનજી તેઓને રામકથા અને પછી પોતાનો પરિચય આપે છે તે તથા આપણે કેટલા મહાન અને શક્તિશાળી છીએ, તે જાણવા માટેના એક સચોટ પ્રયોગની કથા.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૭ | આવકારો મીઠો આપજે રે.... । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૭ | આવકારો મીઠો આપજે રે…. । Sundarkand | सुंदरकांड

શ્રીરામચરિતમાનસમાં ગોસ્વામીજીએ શ્રીહનુમાનજી-વિભીષણજીના મેળાપની વાત લખી છે, તેના સમર્થનમાં મળતા તર્ક, શ્રીહનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઇને જ વિભીષણજીને કેમ મળ્યા? બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને શ્રીહનુમાનજીએ વિભીષણજીને ક્યા વચન સંભળાવ્યા હતા? એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે… આવકારો મીઠો આપજે રે… વગેરે કથાઓ.

Continue reading