શું શિક્ષિત કર્મચારી નગરી (ગાંધીનગર) ખરેખર કેળવણી પામેલ છે?

ગાંધીનગર – ગુજરાતનું પાટનગર. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી જીવરાજ મહેતાના ભારતના રાષ્ટ્રપિતા પૂ. ગાંધી બાપુને અંજલી સ્વરૂપ સુચન પરથી નામાંકિત આ શહેરની સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૬૫ના રોજ થઇ. આ સુ-આયોજિત નગર ઇ.સ. ૧૯૭૧માં ગુજરાતનું સાતમું (૧. આનર્તપુર – વડનગર પાસે આવેલુ, ૨. દ્‌વરાવતી – દ્વારકા, ૩. ગિરિનગર – જુનાગઢ, ૪. વલ્લભી – ભાવનગર, ૫. અણહિલપુર – પાટણ તથા ૬. અમદાવાદ પછી) પાટનગર બન્યુ ત્યારે મુખ્યમંત્રી તરીકે શ્રી હિતેન્દ્ર દેસાઇ હતા. વસતી ગણતરી – ૨૦૧૧ મુજબ ૨,૦૬,૧૬૭ની જનસંખ્યા ધરાવતા ગાંધીનગરની આશરે ૯૧% પ્રજા (૯૫.૧૮% પુરુષો અને ૮૬.૫૨% સ્ત્રીઓ) શિક્ષિત છે. જે દેશની સરેરાશ ૭૪.૦૪ અને ગુજરાતની સરેરાશ ૭૮.૦૩ કરતા ઘણી વધુ છે. અહિ, શિક્ષણ એટલે ફક્ત અક્ષરજ્ઞાન નહીં પણ શિક્ષણ એટલે અક્ષયજ્ઞાન જે માનવજીવનને સંસ્કારે છે. ગાંધીનગરમાં અધિકારી/કર્મચારીઓના રૂપમાં આટલો મોટો શિક્ષિત વર્ગ હોવા છતાં અમૂક અ-સંસ્કૃત હરકતો ખરેખર અચરજ પમાડે તેવી છે.

Continue reading