“વૃક્ષારોપણ” – ઉછેરની ખાતરીના ભાવ સાથે

સાંસ્કૃતિક પ્રધાન એવા આપણા દેશમાં વૃક્ષોની પૂજા-અર્ચના આદિ-અનાદિ કાળથી થતી આવે છે. પૃથ્વી ઉપર સમગ્ર જીવ સૃષ્ટિનું અસ્તિત્વ જેના ઉપર નિર્ભર છે, તેવા વૃક્ષો, વનો અને વનસ્પતિઓનું જતન કરવાની બાબત સંસ્કૃતિમાં વણાયેલી છે. આપણે ત્યાં બહેનો વટસાવિત્રીનું વ્રત કરી વડની પૂજા કરે છે, તુલસી વિવાહ થાય છે અને વર્ષના ચોક્કસ સમયે પીપળામાં પિતૃદેવતાનો વાસ માની જળ અર્પણ કરીએ છીએ વગેરે તેના તાદશ ઉદાહરણો છે. આપણા ધર્મગ્રંથો જેવા કે, અથર્વવેદ, શ્રીમદ ભાગવત, વરાહ પુરાણથી લઇ વિક્રમ ચરિત અને ચરક સંહિતા વગેરેમાં વૃક્ષોનું મહત્વ દર્શાવેલ છે અને તેનું જતન કરવાના આદેશો પણ જોવા મળે છે.

Continue reading

ઈ – પગાર અને હિસાબ કચેરી (જીએસટી), ગાંધીનગરની સામાજિક પ્રવૃતિઓ

સામાજિક જવાબદારી (સોશીયલ રિસ્પોન્સિબિલીટી)ની વિભાવના દ્વારા કંપનીઓ તેમના વ્યાવસાયિક કામગીરી ઉપરાંત સામાજિક અને પર્યાવરણીય કાર્યોને સંકલિત કરે છે તથા આર્થિક, પર્યાવરણીય અને સામાજિક આવશ્યકતાઓ(ટ્રીપલ – બોટમ લાઇન – એપ્રોચ)નું સંતુલન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. સરકારશ્રીની મહેસૂલી આવકોમાં મોટો હિસ્સો ધરાવતી જીએસટીની આવકોના હિસાબો નિભાવવાની સાથે-સાથે આ કચેરી પણ કોર્પોરેટ સોશીયલ (સામાજિક) રિસ્પોન્સિબિલીટી (જવાબદારી) – સીએસઆર જેવી જવાબદારીની અદા કરવાનું ચૂકતી નથી.

Continue reading