Sundarkand-021

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૧ | અતિથિ દેવો ભવ: | Sundarkand | सुंदरकांड

દેવતાઓને શ્રીહનુમાનજીની વિશિષ્ટ બળ-બુદ્ધિની પરીક્ષા કરવાનો વિચાર કેમ આવ્યો? શ્રીહનુમાનજીની કસોટી કરવા નાગમાતા સુરસાને જ કેમ પસંદ કરવામાં આવ્યા? સાપને ઘેર પરોણો સાપ, મુખા ચાટી ચાલ્યો ઘર. નારી શક્તિનો વધુ એક પરીચય, Everything is fair in love and warની જેમ શાસ્ત્રોક્ત રીતે પરીક્ષા લેવા માટે પ્રશ્નને મરોડીને પૂછવો કે વાત કરવી અને કોઇ અભિનય કરતા હોઇએ ત્યારે જે કર્મ કરીએ, આ બન્ને પરિસ્થિતિમાં જુઠુ બોલવાથી પાપ લાગતું નથી અને અંતે અતિથિ દેવો ભવ:ની કથા….

Continue reading
Sundarkand

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૯ | ઉપકારનો બદલો પ્રત્યુપકારથી વાળવો જોઇએ | Sundarkand | सुंदरकांड

ઉપકારનો બદલો પત્યુપકારથી વાળવો એ સનાતન ધર્મ છે. મૈનાક પર્વતનું વર્ણન. સત્યયુગમાં પર્વતોને પાંખો હતી, તેની કથા. મૈનાકનો શ્રીહનુમાનજી પ્રત્યે કૃતજ્ઞ ભાવ. પ્રભુ શ્રીરામ પોતે સમુદ્ર કિનારે પહોંચે છે અને સમુદ્ર પાસે સહાયતા માંગે છે, તો સમુદ્ર આસાનીથી માર્ગ નથી આપતો; પરંતુ શ્રીરામના દૂતને ઉપરથી પસાર થતા જોઇને સામેથી વિશ્રામની વ્યવસ્થા કરે છે. આવું કેમ? જીવ ભક્તિના માર્ગે પ્રયાણ કરે એટલે પહેલું વિઘ્ન શું આવે? વગેરે કથા…..

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૮ | અહમિશ્વાકુ નાથેન સગરેણ વિવર્ધિત: | Sundarkand | सुंदरकांड

શ્રીહનુમાનજીએ પર્વતને પગથી દબાવીને જોરથી છલાંગ મારી કે તરત જ તે પાતાળમાં ચાલ્યો ગયો, સંતનો ચરણ સ્પર્શ થાય એટલે સદ્‌ગતિ થઇ જાય, અમોઘની વ્યાખ્યા, સમુદ્રએ મૈનાક પર્વતને શ્રીહનુમાનજી માટે થાક ઉતારનારા અને તેઓને વિશ્રામ આપનારા બનો. તેવું કેમ કહ્યું? સમુદ્રનું નામ સાગર કેમ પડ્યું? તેની કથા વગેરે….

Continue reading