મે મહિનો આવે એટલે પેન્શનરો માટે હયાતીનીનો સમય આવે. દર વર્ષે ૧લી મે થી ૩૧મી જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવાની હોય છે. આવતા એકવર્ષ માટે પેન્શન સતત ચાલુ રહે તે માટે ૩૧મી જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી આવશ્યક છે, અન્યથા જુલાઇ પેઇડ ઇન ઓગષ્ટથી પેન્શન બંધ કરવાની જોગવાઈ છે.
રાજ્ય સરકારશ્રી દ્વારા પેન્શન સુધારણાઓના ભાગરૂપે આ પધ્ધતિમાં છેલ્લા વર્ષોમાં ઘણા સુધારાઓ કરવામાં આવેલ છે. જેમ કે વયોવૃદ્ધ પેન્શનરો કે જે ચાલી ન શકતા હોય તેઓની ઘરે જઇને હયાતીની ખરાઈ કરવી, જીવન પ્રમાણ મારફતે ઓનલાઈન ઘરેબેઠા હયાતીની ખરાઈ વગેરે.
અગાઉ આ બાબત ઉપર મારા બે લેખ પ્રસિધ્ધ થઈ ચુક્યા છે.
- જીવન પ્રમાણ મારફતે પેન્શનરો માટે ઓનલાઈન હયાતીની ખરાઇ અને અન્ય સુવિધાઓ (તા. ૨૪.૦૬.૨૦૨૦) – http://udaybhayani.in/jeevanpramaan/
2. જીવન પ્રમાણ અંતર્ગત ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી મારફતે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (Digital Life Certificate through Face Recognition) (તા. ૦૬.૧૨.૨૦૨૧) – http://udaybhayani.in/digital_life_certificate_through_face_recognition_by_uday/
ગતવર્ષ સુધી ચહેરાની ઓળખ આધારીત હયાતીની ખરાઈ એન્ડ્રોઇડ મોબાઈલ મારફતે જ થઈ શકતી હતી. આ વર્ષથી ભારત સરકાર દ્વારા આઈફોન મારફતે પણ ચહેરાની ઓળખ આધારીત હયાતીની ખરાઈ કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ વર્ષે આઈફોન મારફતે હયાતીની ખરાઈની વિગતો સહ આખી પદ્ધતિ ફરીથી આપની સમક્ષ મુકતા આનંદ થાય છે. આશા રાખુ છું કે,
- આ લેખ સાથે મુકેલ વિડિયોની લિંક હયાતીની ખરાઈ કરવામાં મદદરૂપ થશે.
- પેન્શનરોની ઇઝ ઓફ લિવીંગ વધારશે.
- સરકારશ્રીની પેન્શનરો માટેની સંવેદનાને ખરા અર્થમાં ઉજાગર કરવામાં સહાયક બનશે.
Nice work & Very Helpful Information sir