શ્રીમદ્ ગોસ્વામી તુલસીદાસજી દ્વારા રચિત રામાયણનું નામ ‘શ્રીરામચરિતમાનસ’ કેમ છે? તે બાબતે ગોસ્વામીજી લખે છે, “રચિ મહેસ નિજ માનસ રાખા। પાઇ સુસમઉ સિવા સમ ભાષા॥ તાતેં રામચરિતમાનસ બર। ધરેઉ નામ હિયઁ હેરિ હરિષ હર॥“ શ્રી મહાદેવજીએ આ ચરિતને રચીને પોતાના માનસમાં સંઘર્યુ હતું. શિવજીએ તેને પોતાના હૃદયમાં સંઘરાયેલું જોઇને આ ઉત્તમ ચરિતનું નામ ‘રામચરિતમાનસ’ એવું રાખ્યું છે.
Continue reading