Sundarkand-021

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૧ | અતિથિ દેવો ભવ: | Sundarkand | सुंदरकांड

દેવતાઓને શ્રીહનુમાનજીની વિશિષ્ટ બળ-બુદ્ધિની પરીક્ષા કરવાનો વિચાર કેમ આવ્યો? શ્રીહનુમાનજીની કસોટી કરવા નાગમાતા સુરસાને જ કેમ પસંદ કરવામાં આવ્યા? સાપને ઘેર પરોણો સાપ, મુખા ચાટી ચાલ્યો ઘર. નારી શક્તિનો વધુ એક પરીચય, Everything is fair in love and warની જેમ શાસ્ત્રોક્ત રીતે પરીક્ષા લેવા માટે પ્રશ્નને મરોડીને પૂછવો કે વાત કરવી અને કોઇ અભિનય કરતા હોઇએ ત્યારે જે કર્મ કરીએ, આ બન્ને પરિસ્થિતિમાં જુઠુ બોલવાથી પાપ લાગતું નથી અને અંતે અતિથિ દેવો ભવ:ની કથા….

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૦ | મનની પવિત્રતાનો મહિમા | Sundarkand | सुंदरकांड

મૈનાકના આતિથ્યનો તિરસ્કાર ન થાય, તે માટે તેને સ્પર્શ કરીને પ્રતિક સ્વરૂપે તેઓના આતિથ્ય સ્વીકાર અને વિશ્રામ બન્ને ભાવોની પૂર્તિ કરતા શ્રીઅંજનીનંદન. સમાજમાં વ્યાપેલો દંભ અને મગજમાં ભરેલા કચરાની વાત. પાશ્ચાત દેશોમાં શરીર ઉપરના ઓછા કપડા મગજ વિચલિત નથી કરતા, મનની સ્વચ્છતા કામ કરે છે. ભક્તિના પથ ઉપર પ્રયાણ કરીએ એટલે સૌથી પહેલા પોતાનાઓની લાગણી જ વિઘ્નરૂપે સામે આવતી હોય છે. ‘મોહિ કહાઁ બિશ્રામ’નો સુંદર અર્થ. વગેરે કથા…..

Continue reading
Sundarkand

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૯ | ઉપકારનો બદલો પ્રત્યુપકારથી વાળવો જોઇએ | Sundarkand | सुंदरकांड

ઉપકારનો બદલો પત્યુપકારથી વાળવો એ સનાતન ધર્મ છે. મૈનાક પર્વતનું વર્ણન. સત્યયુગમાં પર્વતોને પાંખો હતી, તેની કથા. મૈનાકનો શ્રીહનુમાનજી પ્રત્યે કૃતજ્ઞ ભાવ. પ્રભુ શ્રીરામ પોતે સમુદ્ર કિનારે પહોંચે છે અને સમુદ્ર પાસે સહાયતા માંગે છે, તો સમુદ્ર આસાનીથી માર્ગ નથી આપતો; પરંતુ શ્રીરામના દૂતને ઉપરથી પસાર થતા જોઇને સામેથી વિશ્રામની વ્યવસ્થા કરે છે. આવું કેમ? જીવ ભક્તિના માર્ગે પ્રયાણ કરે એટલે પહેલું વિઘ્ન શું આવે? વગેરે કથા…..

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૮ | અહમિશ્વાકુ નાથેન સગરેણ વિવર્ધિત: | Sundarkand | सुंदरकांड

શ્રીહનુમાનજીએ પર્વતને પગથી દબાવીને જોરથી છલાંગ મારી કે તરત જ તે પાતાળમાં ચાલ્યો ગયો, સંતનો ચરણ સ્પર્શ થાય એટલે સદ્‌ગતિ થઇ જાય, અમોઘની વ્યાખ્યા, સમુદ્રએ મૈનાક પર્વતને શ્રીહનુમાનજી માટે થાક ઉતારનારા અને તેઓને વિશ્રામ આપનારા બનો. તેવું કેમ કહ્યું? સમુદ્રનું નામ સાગર કેમ પડ્યું? તેની કથા વગેરે….

Continue reading

શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૭ । બાર બાર રઘુબીર સઁભારી | Sundarkand | सुंदरकांड

પ્રભુ શ્રીરામનું મૃત્યુ સમયે માત્ર એકવાર નામ-સ્મરણ કરવાથી જીવ સંસાર-સાગર પાર કરીને પ્રભુના પરમધામને પ્રાપ્ત કરે છે, તો રામદૂત શ્રીહનુમાનજી માટે પ્રભુની મુદ્રિકા સાથે લઇને અને હૃદયમાં પ્રભુ શ્રીરામનું સ્મરણ કરતા-કરતા સમુદ્ર પાર કરવો કોઇ મોટી વાત નથી. આ ઉપરાંત, મહેન્દ્રાચલનું સુંદર વર્ણન, નિરંતર પ્રભુ સ્મરણ, પ્રભુ શ્રીરામના રઘુવીર નામનું તાત્પર્ય અને શ્રીહનુમાનજી છલાંગ મારે છે તેના વર્ણનની કથા…..

Continue reading

શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૬ । હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી | Sundarkand | सुंदरकांड

‘હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી’ અર્થાત મનમાં આનંદ-ઉત્સાહ હોવો એ કોઈપણ કાર્યની સફળતા માટેની પૂર્વશરત છે. નમે તે સહુને ગમે અને તેનાથી પણ વિશેષ નમે તે પ્રભુને તો સવિશેષ ગમે. કાર્ય રોજીંદુ કચેરી કે ધંધા ઉપર જવાનુ સામાન્ય હોય કે ખાસ હોય, એકવાર માતા-પિતાને પગે લાગીને ઘરની બહાર નિકળવાની આદત કેળવો, પરિણામો બદલી જશે. “કોઇપણ કાર્ય પછી ભલે તે સાંસારિક કાર્ય હોય તો પણ મન,વચન અને કર્મથી કરવામાં આવે અને સાથે પ્રભુ સ્મરણ હોય તો તે પ્રભુકાર્ય બની જાય છે, યોગ બની જાય છે, તેની સફળતામાં કોઇ શંકા રહેતી નથી.”

Continue reading

શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૫ । ભોજન વગર ભજન ન થાય | Sundarkand | सुंदरकांड

શ્રીહનુમાનજી વાનરસેનાને કહે છે કે મારે પાછા આવવામાં સમય જાય અને તે દરમ્યાન કોઇ દુ:ખ પડે, તો સાથે મળીને વેઠી લેજો. કંદ-મૂળ, ફળો વગેરે જે કાંઇ મળે તે ખાઈને સમય પસાર કરજો, મારી પ્રતિક્ષા કરજો અને પ્રભુનું સ્મરણ કરજો, પરંતુ કોઈએ ભુખ્યુ રહેવાનું નથી કારણ કે ભોજન વગર ભજન થઈ શકે નહી.

Continue reading